કઈંક અનોખું કરીશું તો જ લોકો વાહ વાહ કરશે



કો તેમનાં ઘરોને અપસાઈકલિંગ કરી રહ્યા છે,’અપમાર્કેટ’ના ઘરોથી એક અલગ દિશામાં જઈ રહ્યા છે. લંડન સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી ડિગ્રી પૂરી કર્યા બાદ યુવાનોને ચા વેચવી કેરિયર લાગે છે. પોતાના પેરેન્ટ્સના બનાવેલા કેરિયરના નિયમો તોડી રહ્યા છે.જયારે સ્ટાર્ટઅપ્સ શહેરી માર્કેટની તુલનામાં ગ્રામ્ય બજારોમાં પણ પ્રવેશ કરી રહ્યા છે.કેટલાક ઉલ્લેખનીય ઉદાહરણ અહીં પ્રસ્તુત છે.

કેરિયરના નિયમો તોડવા: લંડનના કિંગ્સ કોલેજથી બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લીધા બાદ 24 વર્ષીય વિદુર માહેશ્વરીએ ચેન્નાઇના માર્કેટમાં જ્યાં કોફીનો પ્રભાવ હતો ત્યાં ચા વેચી કૉફીના માર્કેટને તોડવાનું વિચાર્યું.એવું એટલા માટે હતું કે તેના પિતા ને એણે દિવસની પંદર ચા પિતા જોયા હતા અને તેને ધ્યાન હતું કે ચા પીનારા સારી દુકાનની શોધમાં હોય છે. વધતી ઉંમર સાથે તેને સમજાઇ ગયું કે ચેન્નાઇમાં સારી ક્વોલિટીની કોફી તો મળે છે પણ એજ ક્વોલોટીની ચા શોધવાની વાત આવે તો એ ભૂલ સાબિત થશે. બસ આજ વાતથી તેને નવો બિઝનેસ કરવાની સંભાવના દેખાઈ અને તે કોઈ નીચે નોકરી કરવા કરતા સારું હતું. તેણે 2018માં ‘ચાય વાલે’ સ્ટાર્ટઅપ શરુ કર્યું અને મેનુમાં ઘણી લલચામણી ચા હતી. વિદુરના આજે 5 આઉટલેટ છે અને જ્યાં દર અઠવાડિયે 1000 ગ્રાહક આવે છે.

મેડિકલ સ્ટાર્ટઅપ્સ : પાછલા વર્ષે પ્રકાશિત થયેલ નેશનલ હેલ્થ પ્રોફાઈલ અનુસાર ભારતમાં 11,000 પ્રતિ એક ડોક્ટર છે.બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં સ્થિતિ વધુ ભયાનક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માને છે કે દુનિયાના દરેક વ્યક્તિ ભલે એ ગમે તેટલો ગરીબ હોય તેને જરૂરી સ્વાસ્થ્ય સેવા પ્રાપ્ત કરવાનો અધિકાર છે .એટલેજ 2019ની આ સંગઠનની થીમ’ બધા માટે સ્વાસ્થ્ય’ છે.આ થીમથી ઘણા સમય પૂર્વે અજય ખંડેરિયા (ગુરુગ્રામથી સંચાલિત ‘ગ્રામીણ હેલ્થકેર’ કંપનીના સ્થાપક) જેવા લોકો 2016 થીજ હરિયાણાના ગ્રામીણ વિસ્તારોમા તેમના કિયોસ્ક સ્થાપિત કરી ચૂક્યા છે. આ વિસ્તારોમાં ગ્રામ્યજનોને હંમેશા પ્રાથમિક ચિકિત્સા સેવાની જરૂર પડે છે.અજયના આ સેન્ટર્સમાં નર્સ અને ડોકટર્સ હાજર રહે છે. પણ તેઓ જમીન ઉપર નહિ સ્ક્રીન ઉપર નજર આવે છે અને ટેલિમેડિસિનની મદદથી ઉપચાર કરે છે.દરેક દર્દીનું હેલ્થકાર્ડ બનાવાયું છે અને તેમની હિસ્ટ્રીને કમ્પ્યુટરમાં ફીડ કરાય છે. ત્રણ વર્ષ સેવા કર્યા બાદ હવે સેન્ટર્સની સંખ્યા વધીને 120 થઇ છે.જેમાં રાજસ્થાન,યુપી,પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.

કચરા વગરના ‘અપસાઇકલિંગ’ ઘર- તમે તમારા ઘરને કેટલું લીલુંછમ બનાવી શકો છો? એક આત્મનિર્ભર માછલીઘરથી લઈને ઉછળતી-કૂદતી ચકલીઓ અને મરઘીઓ સુધી , હરેશ ચુગાની ચૂગાની અને એન્ડ્રિયા જેકબનું ઘર પ્રેરણા સ્વરૂપ છે. તેમના ઘરમાં કંઈપણ બેકાર નથી જતું.તેમના ખાધા બાદ વધેલા ખોરાકને દીવાલની ઉપર મૂકી દેવામાં આવે છે જે ખાવા માટે આવતા મહેમાનોમાં ગોકળગાય,બિલાડી અને કાગડાઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એમ છે કે આ બધાજ જાનવરો તેમના વારા ઉપર આવવાનું જબરું અનુશાસન છે.તેમના ચાર કુતરાઓ હંમેશા બધી બાજુ ફર્યા કરે છે.તેમનું ઘર જાનવરો અને માણસોની કોઓપરેટિવ સોસાયટી છે. હરેશ અને એન્ડ્રિયા ઈચ્છે છે કે તેમનું ઘર અપસાઇકલિંગ ઘર હોય.

ફંડા એ છે કે થોડું હટકર વિચારીને કરશોતો ઘણા લોકોના મનમાં વસી જશો અને તમારા અસ્તિત્વને સન્માન મળશે.

લો

મેનેજમેન્ટ ફંડા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – people will only wow if something strange happens 062553

વિરમગામ તાલુકાના ઓગણ ગામે ચૈત્રીનવરાત્રિએ 100 વર્ષથી ચાલતી પરંપરા બળિયાદેવના 150થી વધારે ફુલગરબા નીકળ્યાં



વિરમગામ | આ પંથકમાં લોકોને બળીયાદેવ માં અતુટ શ્રદ્ધા હોવાથી નાની-મોટી બાધાઓ રાખવામાં આવે છે જે ફળીભૂત થતા ચૈત્ર નવરાત્રિ માં એક જ દિવસે પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. વિરમગામ ઓગણ ગામે 12 એપ્રિલને શુક્રવારે ચૈત્ર સુદ સાતમે નિમિત્તે 100 વર્ષથી ચાલતી ફૂલો ના ગરબા ની પરંપરા જોવા મળી ઓગણ ગામે 150થી વધારે ફૂલો ના ગરબા લઈને દરેક સમાજના લોકો ગામની બહાર આવેલ બળિયાદેવના મંદિરે જઈને વિધિવત પૂજા કરીને તેમની માનતા પૂરી કરવામાં આવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – more than 150 flowering gardens of baliyadev a tradition that lasted 100 years in chaitirinvarathri in ogna village of viramgam taluka 062550


Div News – more than 150 flowering gardens of baliyadev a tradition that lasted 100 years in chaitirinvarathri in ogna village of viramgam taluka 062550

ચીલાકોટામાં 4 પર માટીની દીવાલ ધરાશાયી, 3નાં મોત



લીમખેડાના ચીલાકોટા ગામે ગુરુવારે રાત્રે 8:30 કલાકે એક કાચા મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જેમાં દિવાલ પાસે ખાટલો ઢાળી નિંદર માણી રહેલા પરિવારની મહિલા તથા તેના બે બાળકો તેમજ મહિલાની ભત્રીજી દિવાલ નીચે દબાઈ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલા સારવાર દરમિયાન મોતને ભેટી હતી.

ગરબાડા તાલુકાના નેલસુર ગામની વિધવા મહિલા બદુડીબેન કનુભાઈ પરમાર તેના બાળકો પાંચ વર્ષનો રોહિત તથા દોઢ વર્ષનો રાજુ સાથે પિતા મગનભાઈ અમલીયારના ઘરે આવી હતી. ત્યારે દુર્ઘટના બની હતી અને તેમાં બદુડીબેન, રોહિત પરમાર અને અસ્મિતાનું મોત થયું હતું. જ્યારે રાજુને ઇજા પહોંચી હતી.

ચીલાકોટામાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં બે બાળકો તથા એક મહિલા સહિત ત્રણના મોત નિપજતા પરિવારજનોમાં કરુણાંતિકા સર્જાઇ હતી . તસવીર યોગેશ શાહ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – 4 wall of clay wall collapses in chalakota 3 dead 062546


Div News – 4 wall of clay wall collapses in chalakota 3 dead 062546


Div News – 4 wall of clay wall collapses in chalakota 3 dead 062546

ભાનુશાળીની હત્યામાં સામેલ ડુમરા 8 દિવસના રીમાન્ડ પર



અબડાસા વિસ્તારના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીના ચકચારી હત્યા કેસમાં તપાસ કરી રહેલી એસઆઇટીની ટીમે બે શાર્પ શૂટરો, મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની ધરપકડ કરી લીધા બાદ હવે આ હત્યા કેસની ફરિયાદમાં શરૂઆતથી જેનું નામ ફરિયાદમાં છે તેવા જેન્તી ઠક્કર ડુમરાને એસઆઇટીની ટીમે પકડી લીધા બાદ તેને ભચાઉ કોર્ટમાં 12 મુદ્દાઅો સાથે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજુ કર્યો હતો જેમાં ભચાઉ કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. કોર્ટમાં એસઆઇટીએ આરોપી જેન્તી ડુમરાને એસઆઇટીના ડીવાયએસપી પી.પી.પીરોજીયાએ ટીમ સાથે રજુ કરી આ આરોપીનું નામ એફઆઇઆરમાં શરૂઆતથી છે અને છબીલ પટેલે પુછપરછ દરમિયાન કરેલી કબુલાત મુજબ હાલના આરોપી જેન્તી ઠક્કર ડુમરા અને છબીલ પટેલને જયંતિ ભાનુશાલી ઉપર અત્યંત ગુસ્સો હતો, આ બન્ને આરોપીઓએ ભાનુશાલીને બદનામ કરવા મનિષા ગોસ્વામી અને તેની પાસે રહેલા અશ્લીલ સાહીત્યનો સહારો લઇ ભાનુશાલીને બદનામ કર્યા હતા. જયંતિ ભાનુશાલીને પતાવી દેવાના કારસામાં આર્થિક ભાગ પણ જેન્તી ડુમરાએ આપ્યો હોવાની છબીલ પટેલે કરેલી કબુલાતના આધારે રિમાન્ડ માગ્યા હતા અને કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

કેડીસીસી બેંકના કૌભાંડ બાબતે પુછપરછ જરૂરી

આરોપી જેન્તી ઠક્કર ડુમરા વિરુધ્ધ ચાલતી કેડીસીસી બેંક કૌભાંડની તપાસ ઉપર સ્ટે હટાવવા જયંતિ ભાનુશાલીએ મહેનત કરી હતી જેમાં એ સફળ થતાં જયંતિ ઠક્કરે ભાનુશાલીને હંમેશા માટે દુર કરવા નક્કી કરાયું હોવાનો મુદ્દો એસઆઇટીની ટીમે કોર્ટમાં રજુ કર્યો હતો અને કેડીસીસી બેંકનું આર્થિક કૌભાંડ શું હતું ? એ બાબતે પુછપરછ કરવી જરૂરી છે તેવી રજુઆત એસઆઇટીની ટીમે કોર્ટ સમક્ષ કરી હતી.

સિધ્ધાર્થ પટેલને જેન્તી ડુમરાએ રોક્યા હતા ?

આ હત્યા કેસમાં સંડોવાયેલા અશોક પટેલ, હાર્દીક પટેલ તથા અન્યના નિવેદન ઉપરથી ફલિત થાય છે કે આ હત્યાના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ પટેલ પોલીસ સમક્ષ હાજર થવા માગતા હતા પરંતુ જેન્તી ડુમરાએ તેને હાજર થવા દીધા ન હતી તેના પાછળ આ આરોપીનો ઇરાદો શું હતો એ જાણવું પણ અતિ જરૂરી હોવાનું સીટની ટીમે કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

એજ્યુકેશન રિપોર્ટર.રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર




એજ્યુકેશન રિપોર્ટર.રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 11-4થી આઇઆઇએમ અમદાવાદ ખાતે ‘શૈક્ષણિક નેતૃત્વ અને સંસ્થાકીય સંચાલન’ વિષય પર ત્રિદિવસીય કાર્યગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે 35 જેટલા અધ્યાપકોને નિષ્ણાત વસંત ગાંધી દ્વારા સર્જનાત્મકતા અને પ્રકલ્પ મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં સર્જનાત્મકતાને સમજાવવા માટે અધ્યાપકોને 3 જૂથમાં વહેંચી વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત વિજય શેરી ચાંદ દ્વારા આઇઆઇએમ અમદાવાદના શરૂઆતથી અત્યાર સુધીના ઇતિહાસની ઝાંખી કરાવવામાં આવી હતી અને છેલ્લે રિસર્ચ ઇકો સિસ્ટમ અને યુજીસી રેગ્યુલેશન ધોરણોની જાળવણી પર પ્રવચન આપવામાં આવ્યું હતું. વચ્ચેના બે સેશનમાં આનંદકુમાર જયસ્વાલ દ્વારા પાર્ટિશિપેન્ટ બેઝ્ડ લર્નિંગ-કેસ ટીચિંગ એન્ડ રાઇટિંગ પર તલસ્પર્શી અભ્યાસ અંગેના વિવિધ મુદ્દાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યગોષ્ઠિનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today