
કો તેમનાં ઘરોને અપસાઈકલિંગ કરી રહ્યા છે,’અપમાર્કેટ’ના ઘરોથી એક અલગ દિશામાં જઈ રહ્યા છે. લંડન સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી ડિગ્રી પૂરી કર્યા બાદ યુવાનોને ચા વેચવી કેરિયર લાગે છે. પોતાના પેરેન્ટ્સના બનાવેલા કેરિયરના નિયમો તોડી રહ્યા છે.જયારે સ્ટાર્ટઅપ્સ શહેરી માર્કેટની તુલનામાં ગ્રામ્ય બજારોમાં પણ પ્રવેશ કરી રહ્યા છે.કેટલાક ઉલ્લેખનીય ઉદાહરણ અહીં પ્રસ્તુત છે.
કેરિયરના નિયમો તોડવા: લંડનના કિંગ્સ કોલેજથી બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લીધા બાદ 24 વર્ષીય વિદુર માહેશ્વરીએ ચેન્નાઇના માર્કેટમાં જ્યાં કોફીનો પ્રભાવ હતો ત્યાં ચા વેચી કૉફીના માર્કેટને તોડવાનું વિચાર્યું.એવું એટલા માટે હતું કે તેના પિતા ને એણે દિવસની પંદર ચા પિતા જોયા હતા અને તેને ધ્યાન હતું કે ચા પીનારા સારી દુકાનની શોધમાં હોય છે. વધતી ઉંમર સાથે તેને સમજાઇ ગયું કે ચેન્નાઇમાં સારી ક્વોલિટીની કોફી તો મળે છે પણ એજ ક્વોલોટીની ચા શોધવાની વાત આવે તો એ ભૂલ સાબિત થશે. બસ આજ વાતથી તેને નવો બિઝનેસ કરવાની સંભાવના દેખાઈ અને તે કોઈ નીચે નોકરી કરવા કરતા સારું હતું. તેણે 2018માં ‘ચાય વાલે’ સ્ટાર્ટઅપ શરુ કર્યું અને મેનુમાં ઘણી લલચામણી ચા હતી. વિદુરના આજે 5 આઉટલેટ છે અને જ્યાં દર અઠવાડિયે 1000 ગ્રાહક આવે છે.
મેડિકલ સ્ટાર્ટઅપ્સ : પાછલા વર્ષે પ્રકાશિત થયેલ નેશનલ હેલ્થ પ્રોફાઈલ અનુસાર ભારતમાં 11,000 પ્રતિ એક ડોક્ટર છે.બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં સ્થિતિ વધુ ભયાનક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માને છે કે દુનિયાના દરેક વ્યક્તિ ભલે એ ગમે તેટલો ગરીબ હોય તેને જરૂરી સ્વાસ્થ્ય સેવા પ્રાપ્ત કરવાનો અધિકાર છે .એટલેજ 2019ની આ સંગઠનની થીમ’ બધા માટે સ્વાસ્થ્ય’ છે.આ થીમથી ઘણા સમય પૂર્વે અજય ખંડેરિયા (ગુરુગ્રામથી સંચાલિત ‘ગ્રામીણ હેલ્થકેર’ કંપનીના સ્થાપક) જેવા લોકો 2016 થીજ હરિયાણાના ગ્રામીણ વિસ્તારોમા તેમના કિયોસ્ક સ્થાપિત કરી ચૂક્યા છે. આ વિસ્તારોમાં ગ્રામ્યજનોને હંમેશા પ્રાથમિક ચિકિત્સા સેવાની જરૂર પડે છે.અજયના આ સેન્ટર્સમાં નર્સ અને ડોકટર્સ હાજર રહે છે. પણ તેઓ જમીન ઉપર નહિ સ્ક્રીન ઉપર નજર આવે છે અને ટેલિમેડિસિનની મદદથી ઉપચાર કરે છે.દરેક દર્દીનું હેલ્થકાર્ડ બનાવાયું છે અને તેમની હિસ્ટ્રીને કમ્પ્યુટરમાં ફીડ કરાય છે. ત્રણ વર્ષ સેવા કર્યા બાદ હવે સેન્ટર્સની સંખ્યા વધીને 120 થઇ છે.જેમાં રાજસ્થાન,યુપી,પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
કચરા વગરના ‘અપસાઇકલિંગ’ ઘર- તમે તમારા ઘરને કેટલું લીલુંછમ બનાવી શકો છો? એક આત્મનિર્ભર માછલીઘરથી લઈને ઉછળતી-કૂદતી ચકલીઓ અને મરઘીઓ સુધી , હરેશ ચુગાની ચૂગાની અને એન્ડ્રિયા જેકબનું ઘર પ્રેરણા સ્વરૂપ છે. તેમના ઘરમાં કંઈપણ બેકાર નથી જતું.તેમના ખાધા બાદ વધેલા ખોરાકને દીવાલની ઉપર મૂકી દેવામાં આવે છે જે ખાવા માટે આવતા મહેમાનોમાં ગોકળગાય,બિલાડી અને કાગડાઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એમ છે કે આ બધાજ જાનવરો તેમના વારા ઉપર આવવાનું જબરું અનુશાસન છે.તેમના ચાર કુતરાઓ હંમેશા બધી બાજુ ફર્યા કરે છે.તેમનું ઘર જાનવરો અને માણસોની કોઓપરેટિવ સોસાયટી છે. હરેશ અને એન્ડ્રિયા ઈચ્છે છે કે તેમનું ઘર અપસાઇકલિંગ ઘર હોય.
ફંડા એ છે કે થોડું હટકર વિચારીને કરશોતો ઘણા લોકોના મનમાં વસી જશો અને તમારા અસ્તિત્વને સન્માન મળશે.
લો
મેનેજમેન્ટ ફંડા