
વિરમગામ | આ પંથકમાં લોકોને બળીયાદેવ માં અતુટ શ્રદ્ધા હોવાથી નાની-મોટી બાધાઓ રાખવામાં આવે છે જે ફળીભૂત થતા ચૈત્ર નવરાત્રિ માં એક જ દિવસે પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. વિરમગામ ઓગણ ગામે 12 એપ્રિલને શુક્રવારે ચૈત્ર સુદ સાતમે નિમિત્તે 100 વર્ષથી ચાલતી ફૂલો ના ગરબા ની પરંપરા જોવા મળી ઓગણ ગામે 150થી વધારે ફૂલો ના ગરબા લઈને દરેક સમાજના લોકો ગામની બહાર આવેલ બળિયાદેવના મંદિરે જઈને વિધિવત પૂજા કરીને તેમની માનતા પૂરી કરવામાં આવે છે.