ભાનુશાળીની હત્યામાં સામેલ ડુમરા 8 દિવસના રીમાન્ડ પર



અબડાસા વિસ્તારના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીના ચકચારી હત્યા કેસમાં તપાસ કરી રહેલી એસઆઇટીની ટીમે બે શાર્પ શૂટરો, મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની ધરપકડ કરી લીધા બાદ હવે આ હત્યા કેસની ફરિયાદમાં શરૂઆતથી જેનું નામ ફરિયાદમાં છે તેવા જેન્તી ઠક્કર ડુમરાને એસઆઇટીની ટીમે પકડી લીધા બાદ તેને ભચાઉ કોર્ટમાં 12 મુદ્દાઅો સાથે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજુ કર્યો હતો જેમાં ભચાઉ કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. કોર્ટમાં એસઆઇટીએ આરોપી જેન્તી ડુમરાને એસઆઇટીના ડીવાયએસપી પી.પી.પીરોજીયાએ ટીમ સાથે રજુ કરી આ આરોપીનું નામ એફઆઇઆરમાં શરૂઆતથી છે અને છબીલ પટેલે પુછપરછ દરમિયાન કરેલી કબુલાત મુજબ હાલના આરોપી જેન્તી ઠક્કર ડુમરા અને છબીલ પટેલને જયંતિ ભાનુશાલી ઉપર અત્યંત ગુસ્સો હતો, આ બન્ને આરોપીઓએ ભાનુશાલીને બદનામ કરવા મનિષા ગોસ્વામી અને તેની પાસે રહેલા અશ્લીલ સાહીત્યનો સહારો લઇ ભાનુશાલીને બદનામ કર્યા હતા. જયંતિ ભાનુશાલીને પતાવી દેવાના કારસામાં આર્થિક ભાગ પણ જેન્તી ડુમરાએ આપ્યો હોવાની છબીલ પટેલે કરેલી કબુલાતના આધારે રિમાન્ડ માગ્યા હતા અને કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

કેડીસીસી બેંકના કૌભાંડ બાબતે પુછપરછ જરૂરી

આરોપી જેન્તી ઠક્કર ડુમરા વિરુધ્ધ ચાલતી કેડીસીસી બેંક કૌભાંડની તપાસ ઉપર સ્ટે હટાવવા જયંતિ ભાનુશાલીએ મહેનત કરી હતી જેમાં એ સફળ થતાં જયંતિ ઠક્કરે ભાનુશાલીને હંમેશા માટે દુર કરવા નક્કી કરાયું હોવાનો મુદ્દો એસઆઇટીની ટીમે કોર્ટમાં રજુ કર્યો હતો અને કેડીસીસી બેંકનું આર્થિક કૌભાંડ શું હતું ? એ બાબતે પુછપરછ કરવી જરૂરી છે તેવી રજુઆત એસઆઇટીની ટીમે કોર્ટ સમક્ષ કરી હતી.

સિધ્ધાર્થ પટેલને જેન્તી ડુમરાએ રોક્યા હતા ?

આ હત્યા કેસમાં સંડોવાયેલા અશોક પટેલ, હાર્દીક પટેલ તથા અન્યના નિવેદન ઉપરથી ફલિત થાય છે કે આ હત્યાના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ પટેલ પોલીસ સમક્ષ હાજર થવા માગતા હતા પરંતુ જેન્તી ડુમરાએ તેને હાજર થવા દીધા ન હતી તેના પાછળ આ આરોપીનો ઇરાદો શું હતો એ જાણવું પણ અતિ જરૂરી હોવાનું સીટની ટીમે કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

એજ્યુકેશન રિપોર્ટર.રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર




એજ્યુકેશન રિપોર્ટર.રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 11-4થી આઇઆઇએમ અમદાવાદ ખાતે ‘શૈક્ષણિક નેતૃત્વ અને સંસ્થાકીય સંચાલન’ વિષય પર ત્રિદિવસીય કાર્યગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે 35 જેટલા અધ્યાપકોને નિષ્ણાત વસંત ગાંધી દ્વારા સર્જનાત્મકતા અને પ્રકલ્પ મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં સર્જનાત્મકતાને સમજાવવા માટે અધ્યાપકોને 3 જૂથમાં વહેંચી વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત વિજય શેરી ચાંદ દ્વારા આઇઆઇએમ અમદાવાદના શરૂઆતથી અત્યાર સુધીના ઇતિહાસની ઝાંખી કરાવવામાં આવી હતી અને છેલ્લે રિસર્ચ ઇકો સિસ્ટમ અને યુજીસી રેગ્યુલેશન ધોરણોની જાળવણી પર પ્રવચન આપવામાં આવ્યું હતું. વચ્ચેના બે સેશનમાં આનંદકુમાર જયસ્વાલ દ્વારા પાર્ટિશિપેન્ટ બેઝ્ડ લર્નિંગ-કેસ ટીચિંગ એન્ડ રાઇટિંગ પર તલસ્પર્શી અભ્યાસ અંગેના વિવિધ મુદ્દાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યગોષ્ઠિનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today