Lacking a sense of leadership

Whether a constituent voted for her or not is irrelevant to her duties as a representative of that constituency. Maneka Gandhi’s statements are out of line, and deserve the widest condemnation

બીજા તબક્કાના મતદાનથી પાંચ દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ




બીજા તબક્કાના મતદાનથી પાંચ દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુ અને કર્ણાટકમાં બે-બે રેલીઓ કરી. ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્રમાં એર સ્ટ્રાઈક અને પુલવમાના શહીદોના નામ પર મત માગ્યા પછી હવે મોદી નવો દાવ રમ્યા છે. તેમણે સૈન્યના નામે મત તો નથી માંગ્યા, પરંતુ કોંગ્રેસને જવાબ આપતા કહ્યું કે – ‘કોંગ્રેસ આજકાલ કહે છે કે મોદી સૈન્યનું નામ ન લે. જો સૈન્યને વન રેંક-વન પેન્શન આપ્યું છે તો સૈન્યનું ગૌરવ ગાન કરવું જોઈએ કે નહીં? વોર મેમોરિયલ બનાવ્યું તો ગાન કરવું જોઈએ કે નહીં? આ પહેલા સૈન્યના નામ પર મતની અપીલ પર ચૂંટણી પંચે રિપોર્ટ માગ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

જય ભીમ : ડૉ. બાબાસાહેબ આંબેડકર (1891-1956)



‘હું કઈ ધૂળનું ઢેફું નથી કે પાણીના પ્રવાહમાં ઓગળી જાઉં, હું તો ખડક છું જે પાણીને પણ તેનું વહેણ બદલવા ફરજ પાડે’ આ શબ્દો બોલનાર અને તેને ચરિતાર્થ કરનાર બાબાસાહેબ આંબેડકરનો આજે જન્મદિવસ છે. કબીર પંથની પરંપરા, પિતાની લશ્કરી કારકિર્દીનો વારસો, આકાશ જેટલી સમાજ સર્જિત આફતો અને તેની સામે ચટ્ટાનની જેમ ઊભા રહેવું આદિ પરિબળોએ આધુનિક ભારતીય ઈતિહાસના આ નાયકનું સર્જન કર્યું હતું. ‘જે ઝાડને ઊગવું હોય તે દીવાલ ફાડીને ઊગી નીકળતું હોય છે’ કરોડો ભારતીયોના જીવનમાં આજે પણ અજવાળું પથારી રહેલા બાબાસાહેબનું જીવન મહાકાવ્ય સમું હતું. ‘મુક્નાયક’ અને ‘બહિષ્કૃત ભારત’ જેવા સામયિકો ચલાવવાની વાત હોય, ‘શુદ્રો કોણ હતા’, ‘જાતિ વિચ્છેદ’, ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મ’, ‘પ્રોબ્લેમ ઓફ રુપી’ અને ‘થ્રોટસ ઓન પાકિસ્તાન’ સરીખા પુસ્તકો લખવાની બાબત હોય કે મહાડ જળ સત્યાગ્રહ અને નાસિકના કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ જેવા ઈતિહાસ કાર્યો હોય ભીમરાવ પોતાના જમાનાથી ઉફરા ચાલ્યા. સન્માન સાથે જીવતા શીખો, ઊંચી મહત્ત્વાકાંક્ષા રાખો જેવી જોશીલી વાણી ઉચ્ચારનાર બાબાસાહેબનું 6 ડિસેમ્બર 1956ના રોજ અવસાન થયું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – jai bhim dr babasaheb ambedkar 1891 1956 062142

મહેશ ત્રિવેદી | અમદાવાદ | એશિયાઇ શેરબજારોમાં સપ્તાહ દરમિયાન જોવા



મહેશ ત્રિવેદી | અમદાવાદ | એશિયાઇ શેરબજારોમાં સપ્તાહ દરમિયાન જોવા મળેલી સુસ્ત ચાલ પાછળ ભારતીય શેરબજારો પણ સંખ્યાબંધ ભવિષ્યની ઘટનાઓ પૂર્વે થોભો અને રાહ જુઓ વાળી કરી રહ્યા છે. જોકે, છેલ્લા કેટલાંક દિવસોથી એક વિચિત્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમાં માર્કેટ ખુલે પોઝિટિવ ટોનથી બપોરે પ્રોફીટ બુકિંગ અને છેલ્લે સપોર્ટ લેવલ ઉપર લાવીને બજાર બંધ થઇ જાય! સેન્સેક્સ-નિફ્ટીમાં કોન્સોલિડેશનના કારણે શુક્રવારે માર્કેટ સુધર્યું હોવા છતાં સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો છે. જોકે, નિફ્ટી હજી 11600 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી જાળવી રહ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

બિટકોઇન: સતીષ કુંભાણી સહિતના 3 ભાગેડુ જાહેર



બિટકોઇન પ્રકરણમાં આખરે મુખ્ય આરોપી સતીષ કુંભાણી, ધવલ માવાણી અને સુરેશ ગોરસીયાને કોર્ટે ભાગેડું જાહેર કર્યા છે. તમામને કોર્ટે આગામી છઠ્ઠી મે, 2019 સુધી કોર્ટ સમક્ષ હાજર થવા જણાવ્યુ છે. નોંધનીય છે કે આ પ્રકરણમાં આરોપી દિવ્યેશ દરજીને હાઇકોર્ટે જામીન આપ્યા છે. બિટકોઇન પ્રકરણમાં દિવ્યેશ દરજી સહિતના આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો. રોકાણકારોને લોભામણી લાલચો આપી, કરોડો રૂપિયા ઉઘરાવીને આરોપીઓ પલાયન થઇ ગયા હતા. દિવ્યેશ દરજી દુબઇ ભાગી ગયો હતો.

70 મુજબના વોરન્ટ બાદ પણ હાજર ન થયા

ફરિયાદ દાખલ થાય એ અગાઉ જ સતીષ કુંભાણી વિદેશ ભાગી ગયો હતો. આ ઉપરાંત ધવલ માવાણી અને સુરેશ ગોરસીયા પણ હાજર ન થતાં કોર્ટે છઠ્ઠી, ઓકટોબર, 2018ના રોજ સીઆરપીસી-70 મુજબનું વોરન્ટ ઇશ્યુ કર્યું હતુ. તેમ છતાં આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યા નહતા. આથી હવે સીઆરપીસી-82 મુજબનું જાહેર નામુ બહાર પાડવામાં આવ્યુ છે. જો આરોપીઓ છઠ્ઠી મે સુધી હાજર નહીં થાય તો મિલકતો જપ્ત કરવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

સુરેન્દ્રનગરમાં મતદાન જાગૃતિ માટે 70×70 ફૂટની રંગોળી બનાવાઈ



સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 23 એપ્રિલે મતદાન યોજાનાર છે. ત્યારે સમગ્ર જિલ્લામાં ચાલી રહેલ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા શહેરના નવા જંકશનના મેદાનમાં મતદાન જાગૃતિ માટે 70×70 ફૂટની વિશાળ રંગોળી બનાવાઇ હતી. આ રંગોળીનું મુખ્ય આકર્ષણ શતાયુ મહિલા મતદાર, સગર્ભા મતદાર અને દિવ્યાંગ મહિલા મતદાર છે. મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી કે. રાજેશ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. પંકજ વલવઇ અને મતદાન જાગૃતિ કાર્યક્રમોના નોડલ ઓફિસર અલ્પેશ પટેલના માર્ગદર્શન નીચે આયોજન કચેરીના કર્મચારીઓએ કોઇપણ પ્રોફેશનલની મદદ લીધા વિના આ રંગોળી બનાવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – 70×70 feet of columns were built for voting awareness in surendranagar 062132

નોટબંધી, મોંઘવારીની અસર જણાતી નથી



આદિવાસી અને મુસ્લિમ મતોનુ પ્રભુત્વ ધરાવતી ભરૂચ બેઠક પર 29 વર્ષથી પુન: કબજો જમાવવા કોગ્રેસની મથામણ નાકામિયાબ રહી છે. આજે નર્મદા નદી સુકી ભઠ્ઠ છે. દરિયાનું સામ્રાજ્ય ઝણોર સુધી પહોંચી ગયુ છે. સર્વે મુજબ ભરૂચ પાસે નર્મદાના પાણીનું ટીડીએસ જ 10000 કરતાં વધુ છે. ભાજપે સતત પાંચ ટર્મથી ચુંટાતાં મનસુખ વસાવાને રિપિટ કર્યા છે. કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવાર શેરખાન પઠાણ પર પસંદગી ઉતારી છે. પણ જીત માટે નિર્ણાયક બનનાર બીટીપીના ઉમેદવાર છોટુભાઇ વસાવા મેદાનમાં છે. ગ્રામિણ વિસ્તારમાં નોટબંધી કે જીએસટી કે મોંઘવારીની વાતથી ફરક દેખાતો નથી. આદિવાસી મતો વધુમાં વધુ અંકે કરવા માટે ભાજપ-કોંગ્રેસ અને બીટીપી મથામણ કરી રહ્યાં છે. સાત વિધાનસભા પૈકી 3 ભાજપ અને ચાર બેઠકો અન્ય પક્ષો પાસે છે. છતાં ભરૂચ અને અંકલેશ્વર પરથી લીડ ભાજપનો વિજય સરળ બનાવી દે છે. વર્તમાન ચૂંટણીમાં મોદી લહેરની કોઇ અસર નથી. કોંગ્રેસ સાથે ગઠબંધન ન થતાં બીટીપીના છોટુ વસાવા મેદાનમાં છે અને તેઓ કેટલુ જોર કરે છે તે જોવાનું રહ્યું.

ભરૂચ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

શાહજહાંપુર (યુપી) | ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શાહજહાંપુરના કાંટમાં



શાહજહાંપુર (યુપી) | ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શાહજહાંપુરના કાંટમાં સભામાં સપા-બસપા અને કોંગ્રેસ પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે પુલવામાના હુમલાના 13મા દિવસે એરફોર્સના જવાનોએ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકી અડ્ડા તોડી પાડ્યા હતા. તે દિવસે સમગ્ર દેશમાં ફટાકડા ફૂટ્યા, મીઠાઈઓ વહેંચાઈ. ખુશીના આ દિવસે પણ બુઆ અને ભત્રીજાના ઘરમાં શોક હતો. તેમના ચહેરા લટકેલા હતા. હવે માયાવતી અને અખિલેશ યાદવ પુરાવા માગી રહ્યા છે. તેમણે બસપા પ્રમુખ માયાવતી પર કટાક્ષ કરતા કહ્યું ચૂંટણી આવતા જ બહેનજીને આંબેડકરજીની યાદ આવે છે. ચૂંટણી જીત્યા પછી તે પોતાની મૂર્તિ લગાવવાનું શરૂ કરી દે છે. આવા લોકોથી સાવધ રહેવું જોઈએ. અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ નિશાન પર લીધા. તેમણે કહ્યું જ્યારે પાકિસ્તાનમાં બોમ્બ ફેંક્યા તો રાહુલ બાબાના લોકો ચિંતિત થઈ ગયા. તેમણે કહ્યું, સપા, બસપા અને કોંગ્રેસવાળા ભલે વોટ બેંકની ચિંતા કરતા પાકિસ્તાન સાથે ઈલુ-ઈલુ કરે. પરંતુ ભાજપ માટે વોટ બેંકથી વધુ દેશની સલામતી મહત્વની છે. જ્યાં સુધી મોદી પીએમ છે, પાકિસ્તાનમાંથી ગોળી આવશે તો અહીંથી ગોળા જશે. અમિત શાહે કહ્યું નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનશે તો ઘૂસણખોરોને દેશમાંથી કાઢી મૂકવાનું કામ કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today